સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાને વર્ષના સૌથી શુભ મુહુર્તોથી એક માનવામાં આવે છે, જ્યારે કોઈપણ શુભ કાર્ય માટે અલગથી શુભ સમય શોધવાની જરૂર નથી હોતી. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ કાર્યમાં ચોક્કસ સફળતા મળે છે અને સમૃદ્ધિ લાવે છે. આ દિવસે વિધિ-વિધાન પ્રમાણે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની સાથે-સાથે સોનું, ચાંદી અથવા કિંમતી ધાતુ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

