ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ બુધવારે (18મી જૂન) જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં 15 ટકાનો ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસરથી શરૂ થયો છે અને જુલાઈ મહિનામાં લાગુ થઈ જશે. નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટના અને બોઈંગ 787 ડ્રીમલાઇનરમાં સુરક્ષા તપાસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

