BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) એપ્રિલ, 2025માં તેની વાર્ષિક રિટેનરશિપની જાહેરાત કરી શકે છે, તેવા સમાચાર આવ્યા છે. નવા કોન્ટ્રાક્ટમાં અમુક મહત્ત્વના ફેરફારો થઈ શકે છે, જેમાંથી એક શ્રેયસ અય્યરની વાપસી પણ છે. IPLમાં પંજાબ કિંગ્સના કેપ્ટન અય્યરને ગયા વર્ષે એકથી વધુ વિવાદોને કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સહિતની ટૂર્નામેન્ટ્સમાં તેનું વર્તમાન ફોર્મ જોતા તેનો કમબેક અપેક્ષિત છે.

