Home / Gujarat / Anand : Teacher couple from Umreth mysteriously goes missing during Chardham Yatra

Anand news: ઉમરેઠનું શિક્ષક દંપતી ચારધામ યાત્રા દરમિયાન ભેદી રીતે ગુમ, એક અઠવાડિયાથી સંપર્ક ન થતાં પરિવાર ચિંતામાં

Anand news: ઉમરેઠનું શિક્ષક દંપતી  ચારધામ યાત્રા દરમિયાન ભેદી રીતે ગુમ, એક અઠવાડિયાથી સંપર્ક ન થતાં પરિવાર ચિંતામાં

ગુજરાતના આણંદ જિલ્લાના ઉમરેઠનું એક શિક્ષક દંપતી ચારધામ યાત્રા દરમિયાન હરિદ્વારથી ભેદી રીતે ગુમ થયું છે. મળતા અહેવાલ પ્રમાણે  શિક્ષક દંપતી મુકેશ પટેલ અને મનીષા પટેલ, જેઓ મૂળ શહેરાના વતની છે અને ઉમરેઠના દુધાપુરામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ હરિદ્વારમાં છેલ્લે પરિવાર સાથે સંપર્કમાં હતા. પરિવાર સાથેની છેલ્લી ટૂંકી ફોન વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, નેટવર્ક ન આવે તો ફોન નહીં થાય, ચિંતા ન કરશો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક અઠવાડિયાથી સંપર્ક ન થતાં ચિંતામાં મુકાયો

જોકે, એક સપ્તાહ વીતવા છતાં કોઈ સંપર્ક ન થતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. ઉત્તરાખંડ પોલીસે દંપતીની ગુમ થયાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અને તેમની શોધખોળ માટે વ્યાપક પ્રયાસો હાથ ધર્યા છે.

Related News

Icon