Vadodara news: રાજ્યમાં માર્ગ અકસ્માતોના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતમાં જાનહાનિની ઘટનાઓ પણ વધી રહી છે. જેથી વહીવટી તંત્ર અને પોલીસ માટે પણ અકસ્માત માથાનો દુખાવો બન્યો છે. વડોદરામાં રફતારનો કહેર યથાવત્ જ રહ્યો હતો. જેથી ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ પર પૂરપાટ જતા અજાણ્યા વાહનની અડફેટે બે સંતાનના પિતા ચંદ્રેશ જાદવનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું.

