પ્રથમ વખત IPLમાં ચેમ્પિયન બનનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની જીતની ઉજવણી મોટી દૂર્ઘટનામાં બદલાઇ હતી. RCB ખેલાડીઓના સ્વાગતમાં બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભેગી થયેલી ભીડમાં ભાગદોડ થતા 11 લોકોના મોત થયા હતા જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે અને મુખ્યમંત્રીનું રાજીનામુ માંગ્યું છે. બીજી તરફ કર્ણાટક હાઇકોર્ટે પણ આ ઘટનામાં સ્વત:સંજ્ઞાન લીધુ છે અને 2:30 વાગ્યે સુનાવણી માટે તૈયાર થઇ છે.

