20 જૂનથી હેડિંગ્લી, લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી 5 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા, ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો પર ખુલીને વાત કરી હતી. તેણે ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માની ટેસ્ટમાંથી નિવૃત્તિ અને 8 વર્ષ પછી તેના સાથી કરુણ નાયરની વાપસી પછી ટીમ પર પડેલા પ્રભાવ પર મૌન તોડ્યું હતું.

