ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જસપ્રીત બુમરાહને આરામ આપ્યો છે. કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે બુમરાહના વર્કલોડને ધ્યાનમાં રાખીને તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટને એમ પણ કહ્યું કે લોર્ડ્સ ટેસ્ટમાં બુમરાહની વધુ જરૂર પડશે. જોકે, ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને બિલકુલ પસંદ નથી આવ્યો. સંગાકારા કહે છે કે સિરીઝનું પરિણામ આ ટેસ્ટ પર નિર્ભર છે, તેથી ટીમનો આ નિર્ણય તેની સમજની બહાર છે.

