રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. રાજકોટ જીલ્લા પોલીસ વડા હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી છે. પોલીસ તપાસમાં આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. અમિત ખૂંટે 5 મે 2025ના રોજ રીબડા ખાતે આપઘાત કર્યો હતો. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પૂજા રાજગોર અને 17 વર્ષીય સગીરાની અટકાયત કરવામાં આવી હતી.

