બાર્બાડોસમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ઐતિહાસિક જીતના એક વર્ષ પછી, રોહિત શર્માએ પોતાના દિલની વાત કહી છે. રોહિતે ખુલાસો કર્યો કે તે ફાઈનલ પહેલા આખી રાત બરાબર ઊંઘી નહતો શક્યો. તે નર્વસ હતો. ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માએ JioHotstar સાથે 'ચેમ્પિયન્સ વાલી ફીલિંગ ફિર સે' પર પોતાના દિલની વાત કરી હતી. રોહિતે વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચેની પાર્ટનરશિપને યાદ કરી હતી. સૂર્યકુમાર યાદવના શાનદાર કેચ અને રાહુલ દ્રવિડના છેલ્લા મિશનની યાદો પણ તાજી કરી હતી.

