જામનગર પંથકમાં માતાએ પોતાના જ ચાર બાળકોને લઈ કૂવો પૂરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ધ્રોલ તાલુકાના સુમરા ગામે બપોરે સગી જનેતાએ પોતાના વ્હાલસોયાં બાળકોને લઈ કોઈ અગમ્ય કારણોસર કૂવામાં પડતું મૂકીને સામૂહિક આપઘાત કરી લીધો છે. જે અંગેની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયા હતા.

