Pahalgam Attack કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને મોટી સફળતા મળી છે. એજન્સીએ પાકિસ્તાનથી આવેલા લશ્કર-એ-તૈયબા (LeT) ના આતંકવાદીઓને આશ્રય આપવામાં સામેલ બે લોકોની ધરપકડ કરી છે. આતંકવાદી હુમલા પહેલા આ આતંકવાદીઓને સંપૂર્ણ આયોજન સાથે આશ્રય આપવામાં આવ્યો હતો. ધાર્મિક ઓળખના આધારે પ્રવાસીઓને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આ હુમલો વધુ ક્રૂર અને પીડાદાયક માનવામાં આવી રહ્યો છે.

