રાજકોટના રીબડામાં દુષ્કર્મના આક્ષેપિત આરોપી પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત મામલામાં આખરે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીઓને ઝડપી લેવાની ખાતરી પણ આપવામાં આવી છે. આ કેસ મામલે SITની રચના કરવામાં આવશે જે આખાય મામલાની તપાસ કરશે. પોલીસ દ્વારા પરિવારજનોની માંગ સંતોષાતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે.

