ભારતમાં ઘણા ઓછા રાજકારણી એવા છે જે સંન્યાસ પછી કંઇક અલગ કરવાનો પ્લાન બનાવે છે. ભાજપના દિગ્ગજ નેતા અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રિટાયરમેન્ટને લઇને એક અલગ યોજના બનાવી છે. અમિત શાહે પોતાના ભવિષ્યની યોજના જણાવી છે. અમિત શાહે કહ્યું કે મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ હું નિવૃત થઇશ, ત્યારે હું મારા બાકીના જીવન માટે પાકૃતિક ખેતી કરીશ.

