VIDEO: અરવલ્લી જિલ્લાના જાણીતા યાત્રાધામ શામળાજીમાં એક ચકચારી ઘટના સામે આવી છે. શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના એટીએમમાં 5.50 લાખની ચોરી કરી પાંચ તસ્કરો કારમાં ફરાર થયા હતા. રાત્રિ દરમ્યાન કારમાં આવેલા પાંચ તસ્કરો એટીએમના સીસીટીવી ઉપર સ્પ્રે મારી ગૅસ કટરથી એટીએમ કાપી તેમાં રહેલા 5.50 લાખની રોકડ ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરો લાખોની ચોરી કરી એટીએમને આગચંપી કરી હતી. ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર ન હોવાનું સામે આવ્યું હતું.

