આજે સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પણ અનેક જગ્યાએ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વિશાળ અને આકર્ષક કાર્યક્રમ પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે યોજાયો હતો. આ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ પૂજન, હવન અને આરતી સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

