Home / India : Operation Sindoor : Pakistan attacked 36 places in India, Turkish drones were used

Operation Sindoor : પાકિસ્તાને ભારતના 36 સ્થળોએ હુમલો કર્યો હતો, તુર્કીના ડ્રોનનો થયો ઉપયોગ

Operation Sindoor : પાકિસ્તાને ભારતના 36 સ્થળોએ હુમલો કર્યો હતો, તુર્કીના ડ્રોનનો થયો ઉપયોગ

ભારતના 'ઓપરેશન સિંદૂર'થી હતાશ થઈને પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલો છોડીને આતંકવાદી છાવણીઓનો નાશ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. દરમિયાન, આ સમગ્ર ઘટના પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે સાઉથ બ્લોકમાં સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી.

ઓપરેશન સિંદૂર પર MEA, IAF, સેના દ્વારા સંયુક્ત બ્રીફિંગ

8 મે 2025 ના રોજ રાત્રે 8 થી 11:30 વાગ્યાની વચ્ચે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના 24 શહેરોને નિશાન બનાવવા માટે 500 થી વધુ નાના ડ્રોન છોડ્યા હતા.

'પાકિસ્તાને 400 થી વધુ ડ્રોનથી 36 સ્થળોએ હુમલો કર્યો'

કર્નલ સોફિયાએ કહ્યું, "8-9 ની રાત્રે પાકિસ્તાને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી હુમલો કર્યો. આટલા મોટા ડ્રોન હુમલાનો અર્થ એ હતો કે તેઓ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીની તાકાત જાણવા માંગતા હતા. આ ડ્રોન તુર્કીના હતા. ભારતે મોટાભાગના ડ્રોનનો નાશ કર્યો. પાકિસ્તાને 36 સ્થળોએ 400 થી વધુ ડ્રોનથી હુમલો કર્યો."

'પાકિસ્તાન પોતાના નાગરિક વિમાનનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે'

કર્નલ સોફિયાએ કહ્યું, "ભારતે 4 કાઉન્ટર ડ્રોન લોન્ચ કર્યા. પાકિસ્તાન તેના નાગરિક વિમાનનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે. પાકિસ્તાને હુમલા દરમિયાન કરાચીથી લાહોર જતી ફ્લાઇટને કાર્યરત રાખી હતી. પાકિસ્તાને હુમલા દરમિયાન દમ્મામથી લાહોર ફ્લાઇટને લેન્ડ કરાવી હતી. ભારતે નાગરિક વિમાનને કોઈ નુકસાન થવા દીધું ન હતું."

તુર્કીના ડ્રોનનો ઉપયોગ થયો હતો - કર્નલ સોફિયા

કર્નલ સોફિયાએ કહ્યું, "પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રોન તુર્કીના હતા. ભટિંડા લશ્કરી મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું, યુએવીથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને નષ્ટ કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાના કેટલાક સૈનિકો માર્યા ગયા હતા, પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું હતું."

 

 

 

 

 

 

 

 

 

Related News

Icon