સુરત જિલ્લાના બારડોલી નગરમાં સ્ટેશન રોડ પર આવેલી જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. આ ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં હતી. જો કે, સ્થાનિકોએ સવાલો કર્યા હતા કે, 3 વર્ષથી જર્જરિત હતી ત્યારે અત્યારે ટાંકીને તોડવામાં આવી છે. સદનસીબે કોઈ દુર્ઘટના અગાઉ જ તંત્રએ નિર્ણય લીધો તે સારી બાબત છે.

