મનુષ્ય માટે સુંદર બનીએ તેનો અર્થ એ નથી - ''બાહ્ય દેખાવથી રૂપાળાં મોહક કે ઉજળાં દેખાઈએ.'' જ્યારે તમો અન્ય મનુષ્યો તરફ પ્રેમ-સ્નેહ-સંવેદના, લાગણી, હર્ષ અને મૈત્રીપૂર્ણ નમ્રતાભર્યો સદ્વ્યવહાર-સહજ સંવાદ કરો છો ત્યારે તમો સૌને પ્રિય લાગો - સૌને સ્વીકૃત બનો. અહીં મનુષ્ય સદ્ગુણોથી સુંદર બને. દીપી ઉઠે. કદરૂપાં ગાંધીજી સદ્ગુણોથી સૌંદર્યવાન હતાં. ઇતિહાસનું પાત્ર કદરૂપી શબરી શ્રદ્ધાબળે સૌંદર્યવાન હતી.

