રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવીજ એક દુર્ઘટના પાલીતાણાના ભીલવાડા પર સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે પાલીતાણાથી થોરાળી ગામ તરફ બાઈક પર સવાર ત્રણ યુવાનો જઈ રહ્યા હતા. તે દરિમયાન અકસ્માત સર્જાયો હતો.

