ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચ બર્મિંગહામમાં બે જુલાઈએ શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો, ત્યારબાદ હાર બદલ બોલરોને જવાબદાર ઠેરવાયા હતા. ભારતે બીજી ઈનિંગમાં 364 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, તેમ છતાં ઈંગ્લેન્ડની ટીમને લક્ષ્યાંક સુધી સરળતાથી પહોંચી ગઈ હતી, જે એક ભારતીય બોલરોની નિષ્ફળતા દર્શાવે છે. હવે બીજી ટેસ્ટ મેચ અંગે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર થઈ શકે છે.

