બોલિવૂડના ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણો સામે વાંધાજનક પોસ્ટ મૂકી હતી. જેથી બ્રાહ્મણ સમાજમાં ભારે વિરોધ થયો હતો. જેથી તેની સામે સુરતની ચીફ કોર્ટે સમન્સ ઇશ્યુ કરી આગામી સાતમી મેના રોજ તેમને રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. સુરતના વકીલ કમલેશ રાવલે આ મામલે ફરિયાદ કરતાં કોર્ટે અનુરાગ કશ્યપ સામે સમન્સ ઇશ્યુ કર્યું હતું.

