નવસારી APMC માં એપ્રિલ 10 થી દર વર્ષે કેરીની સીઝન શરૂ થતી હોય છે.પરંતુ બદલાયેલા વાતાવરણને કારણે હજુ આંબા પર કેરી અપરિપક્વ છે. જેના કારણે ખેડૂતો થોડી રાહ જોઈ રહ્યા છે. 20 એપ્રિલ બાદ કેરીની આવક શરૂ થાય તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. નવસારી જિલ્લાની વાડીઓમાં દેવીપુજક અને યુપીવાસી વેપારીઓ આંબા ઉપર મોર પારખીને આખી વાડીઓના સોદા કરતા હોય છે. જેમને આ વખતે 80 ટકા જેટલું નુકસાન થશે તેવી સંભાવના જોવાઈ રહી છે. કેટલાક લોકો લાખો રૂપિયાના ભાવે વાડી તો રાખે છે. પરંતુ કેરી ન આવવાને કારણે પૈસા ડૂબવાની સ્થિતિ ઊભી થઈ છે. જો ખેડૂતો લીધેલા પૈસા અંગે સમાધાન ન કરે તો વાડી રાખનારને આત્મહત્યા પણ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હોવાની વાત APMCના વેપારી કરી રહ્યા છે.

