ખરાબ ડાયટ આપણા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે, જેના કારણે કબજિયાત થાય છે. અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી આંતરડામાં ફસાયેલ મળ સરળતાથી બહાર આવશે અને પાચનતંત્ર પણ સુધરશે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં ઘી અને ત્રિફળા પાવડર મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે. આ ઉપાય આંતરડામાં જમા થયેલા મળને તો ઢીલું કરે જ છે, પરંતુ પાચનતંત્રને મજબૂત બનાવવામાં અને શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

