સુરતમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિ નો કાર્યક્રમ અને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી સત્સંગી સભામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ગૌ પ્રેમીઓ પ્રાકૃતિક પ્રેમીઓ હાજર રહ્યા હતા. ભારતને ઝેર મુક્ત ભારત અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તેવી નેમ સૌએ લીધી હતી.

