Sports news: ભારતીય સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણેને છેલ્લા બે વર્ષથી ભારતીય ક્રિકેટની ટેસ્ટ ટીમમાં મોકો મળ્યો નથી. અત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. એવામાં લોર્ડ્સની મુલાકાત દરમિયાન રહાણેનું દર્દ છલકાયું છે. તેનું કહેવું છે કે ટીમમાંથી ડ્રોપ થયા બાદ તેણે સિલેક્ટર્સ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ મળતો નથી.

