રાજ્યના સુરેન્દ્રનગરમાં સગા ભાઈ – બહેન ભોગાવો નદીમાં ન્હાવા જતા ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં બન્નેનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. બે દિવસ પહેલા વલસાડમાં પણ આવી જ ઘટના સર્જાઈ હતી, જેમાં 4 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. અકાળે બાઈ-બહેનનું મોત નિપજતા પરિવાર પર દુ:ખનું આભ ફાટી પડ્યું છે.

