અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરોના મોતથી શોકની લાગણી ફરી વળી છે ત્યારે આ દુર્ઘટનામાં સાબરકાંઠાના હિંમતનગરના રહીશ અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના નાનકડા ગામ ગોગુદાના વતની ખટીક પરિવારની પુત્રી પાયલનું પણ મોત નિપજ્યું છે.

