ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાએ પોતાના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને એક પત્ર લખ્યો છે. આ પત્રને કારણે તેલંગાણાના રાજકારણમાં ગૂસપૂસ ચાલુ થઈ ગઈ છે. એમ કહેવાય છે કે કવિતાએ કેસીઆરને પોતાને હાથે ફીડબેક પત્ર લખ્યો હતો. આ પત્રમાં કવિતાએ હાલિયા બેઠક સંદર્ભે પક્ષ માટે ફાયદાકારક અને નુકશાન કરે એવી વાતોનું એનાલીસીસ કર્યું હતું. પત્રમાં ભાજપ અને બીઆરએસ વચ્ચે ગઠબંધન થવાની શક્યતા વિશેનો પણ ઉલ્લેખ હતો. આ પત્ર લીક થવાથી તેલંગાણા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. તેલુગુ અને અંગ્રેજી ભાષામાં લખેલા પત્રમાં કવિતાએ લખ્યું છે કે, 'જેમ કે તમે (કેસીઆર) ફક્ત બે મિનિટ બોલ્યા અને ભાજપ માટે પણ કોઇ નુકતેચીની કરી નહીં, આનાથી કેટલાકે એવું વિચારવાનું શરૂ કર્યું છે કે, ભવિષ્યમાં આપણે ભાજપ સાથે ગઠબંધન કરી શકીએ છીએ.'

