Mehsana news: ઉત્તર ગુજરાતના ઊંઝા શહેરમાં આવેલા પાવન શક્તિ સ્થાન અને કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયા માતાને અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા માઈભક્ત પટેલ અંબાલાલ જોઈતારામ મહાદેવિયા પરિવાર દ્વારા 11 લાખની કિંમતના 11 તોલા શુદ્ધ સોનાની પાદુકા અર્પણ કરવામાં આવી હતી. આ સોનાની પાદુકાનો મંદિરના પૂજારી અને ટ્રસ્ટે સહર્ષ સ્વીકાર કર્યો હતો.

