Home / Religion : Love for God religion

Dharmlok : પ્રભુ પ્રત્યે પ્રેમ

Dharmlok : પ્રભુ પ્રત્યે પ્રેમ

- તુષાર દેસાઈ

શ્રી માતાજી (પોંડિચેરી) કહે, "જે ઈશ્વરને પ્રેમ કરે છે તે સાચે જ સુખી છે કારણ કે ઈશ્વર પછી હંમેશાં એની સાથે જ રહે છે. ઈશ્વર પણ તેને જ ચાહે છે જે ઈશ્વરને ચાહે છે. ચાહવું એટલે અંતરમાંથી ફૂટતી એવી લાગણી જે ઈશ્વરના અંતર સુધી પહોંચી તમારી પ્રભુ પ્રત્યેની લાગણીના બીજને પોષે છે. આ ચાહનાનું સ્તર જેમ ઊંડું થતું જાય તેમ તમારો ઈશ્વર પ્રત્યેનો સ્નેહ વધે. સાક્ષાત્કાર થઈ જીવન ધન્ય બની જાય. માનવજીવનની આ જ તો શ્રેષ્ઠતમ ઉપલબ્ધિ છે. 'પ્રભુને પ્રેમ કરો.' જો બાહ્ય જગતની વ્યક્તિને આપણે પ્રેમ કરી શકતા હોઈએ તો જગતના નિયંતાને કેમ નહિ? પણ આ પ્રેમ શુદ્ધ, નિરપેક્ષ અને નિસ્વાર્થ હોવો ઘટે. શ્રી માતાજીનું અન્ય એક વિધાન, 'સાચા આનંદનો સ્ત્રોત ઈશ્વર છે, એ છે શુદ્ધ અને બિનશરતી. સામાન્ય સુખનો સ્ત્રોત હોય છે - 'પ્રાણશક્તિ'. જે અશુદ્ધ હોય છે અને બહુધા સંજોગો પર આધારિત હોય છે.'

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon