પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન અત્યાર સુધી સારી નથી રહી. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપ હેઠળ, ચેન્નાઈએ પહેલી 3 મેચમાંથી 2 મેચ હારી છે. પહેલી મેચ જીત્યા બાદ ટીમને સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, ટીમ માટે કોઈપણ કિંમતે વાપસી કરવી મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આગામી મેચ પહેલા ટીમની કેપ્ટનશિપમાં ફેરફાર થઈ શકે છે. આગામી મેચ માટે એમએસ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની શકે છે. આવું થઈ શકે છે પણ તેનું કારણ ટીમની હાર નથી પણ કેપ્ટન રુતુરાજ ગાયકવાડની ઈજા છે.

