ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ હવે નવા નામથી રમાશે. આ માટે, ભારત અને ઈંગ્લેન્ડના બે મહાન ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આગામી ટેસ્ટ સિરીઝ તેમના નામે રમાશે. અગાઉ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝ 'પટૌડી' તરીકે જાણીતી હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એપ્રિલમાં ટ્રોફીનું નામ બદલવાની જાહેરાત કરી હતી.

