આ સમયે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્ગજ ફિલ્મ નિર્દેશક સત્યજીત રેની કલ્ટ મૂવી 'પાથેર પાંચાલી' ની અભિનેત્રી ઉમા દાસગુપ્તાએ 84 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. 69 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મમાં દુર્ગા રોયનું પાત્ર ભજવીને ઉમાએ રાતોરાત ખ્યાતિ મેળવી હતી.

