Rajkot news: રાજકોટ શહેરમાં આવેલા સાધુ વાસવાણી રોડ પર મંગલમ્ શેરી નં-4માં રહેતા અને બે દિવસ પહેલા અકસ્માતનો ભોગ બનેલા 75 વર્ષીય નરેન્દ્ર બાવીશી પોતાના રૂમમાં પુરાઈ ગયા ગયા જે અંગે તેમના પાડોશીએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર અને ઈમરજન્સી વિભાગની ટીમે આ એકલા રહેતા વૃદ્ધના ઘરે આવી તેમના રૂમનો દરવાજો તોડી વૃદ્ધનું રૅસ્ક્યૂ કર્યું હતું. જેથી વૃદ્ધનો જીવ બચી ગયો અને તેમને 108ની મારફતે તાબડતોબ રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

