Gambhira Bridge accident : વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે (નવમી જુલાઈ) તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોટી કાર્યવાહી કરતા કાર્યપાલક ઈજનેર સહિત 4 લોકોને સસ્પેન્ડ કરાયા છે. પ્રાથમિક તપાસ અવલોકનને આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

