સુરત મહાનગરપાલિકા (SMC)ની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના અઠવા ઝોનના અલથાણ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણાંએ રાહદારીઓ માટે જીવલેણ જોખમ ઊભું કર્યું છે. વરસાદી માહોલ વચ્ચે ખુલ્લી કે તૂટેલી ગટરો ખીણ જેવું ભયજનક રૂપ ધારણ કરે છે, અને આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે.

