નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં, યુવા ભારતીય ટેસ્ટ ટીમ ઈતિહાસ રચવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 20 જૂનથી લીડ્સના મેદાન પર શરૂ થશે. આ વખતે ઈંગ્લેન્ડ સામેની આ 5 ટેસ્ટ મેચ સિરીઝમાં, ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના રમશે, કારણ કે આ બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. એવામાં નવા કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર માટે આ પ્રવાસ અગ્નિપરીક્ષા સમાન છે. ઈંગ્લેન્ડનો પ્રવાસ હંમેશા ભારત માટે પડકારજનક રહ્યો છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે શું ટીમ ઈન્ડિયા 18 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં સિરીઝ જીતી શકશે કે નહીં?

