પહેલગામમાં પાકિસ્તાન દ્વારા થયેલા આતંકવાદી હુમલાનો બદલો ભારતે એરસ્ટ્રાઈક કરીને લીધો હતો. ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનમાં ઘૂસીને ઇંડિયન આર્મીએ આતંકવાદીઓના 9 જેટલા કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો. જેને લઈને સમગ્ર દેશ ભારતીય સેના અને સરકારની આ કામગીરીને વધાવી રહ્યું છે. તેવામાં વિપક્ષ પાર્ટીઓના નેતા અને ભાવનગરના યુવરાજે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

