સુરત મહાનગર પાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વ્યથા અનુભવી રહ્યાં છે. આ ફરિયાદ વધુ એક કોર્પોરેટર મેયર સમક્ષ ઠાલવી હતી. જેમાં તેમણે કહ્યું કે, પાલિકાના અધિકારી ફોન રિસીવ કરતા નથી. જેથી આચાર સંહિતના પગલે વોર્ડમાં ચાલતા વિકાસના કામોને બ્રેક લાગી ગયા છે. મેયરે આ ફરિયાદને ગંભીરતાથી લઈને આગામી દિવસોમાં તમામ ઝોનમાં સંકલન બેઠકનું આયોજન કરવા અંગેની તજવીજ હાથ ધરી હતી.

