સુરતમાં દેહવ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું અવારનવાર પકડાતું હતું. ત્યારે હવે કૂટણખાના ચલાવનારને સ્પા યોગ્ય ન લાગતા હોવાથી દેહવ્યાપાર માટે કોમર્શિયલ કોમ્પલેક્સમાં દુકાનોને ડેસ્ટિનેશન બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં ચાલતાં આવા જ કૂટણખાના પર રેઈડ કરીને 3 મહિલાનો મુક્ત કરાવાઈ હતી. જ્યારે સંચાલક મહિલા અને પુરૂષને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

