મહાકુંભના સમાપન આડે અઠવાડિયું બાકી છે. ત્યારે ભીડ 3 ગણી વધી રહી છે. પ્રયાગરાજમાં ટ્રેનો માટે સ્લોટ ઉપલબ્ધ નથી. જેથી ઉત્તર મધ્ય રેલવેએ તમામ ઝોનને પત્ર લખીને ટ્રેનો રદ કરવા કે ડાયવર્ટ કરવા અપીલ કરી હતી. જેથી દેશની 17 મેલ એક્સપ્રેસની કેટલીક ટ્રિપ રદ કરાઈ હતી. જેમાં તાપ્તીગંગા, અમદાવાદ-બરૌની સહિત 6 ટ્રેનોની 12 ટ્રિપનો સમાવેશ થાય છે.હાલમાં 35 હજારથી વધુ યાત્રીઓ અટવાઈ ગયા છે.

