Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધી ગઈ છે.આ ઉપરાંત માર્ગ અકસ્માતમાં જાનહાનિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આવી જ ઘટના સામે આવી હતી વઢવાણ-સુરેન્દ્રનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત જે સ્થળે થયો તેની નજીક પોલીસ સ્ટેશન હતું. છતાં અકસ્માત જેવી ઘટના બની હતી. યુવકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

