હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. હિન્દુ પંચાંગ મુજબ હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પંચાંગ પ્રમાણે આજે 12 એપ્રિલના શનિવારના રોજ હનુમાન જયંતી છે. ત્યારે આવો જાણીએ હનુમાનજીના પ્રાગટ્યની અજાણી ગાથા, સાથે જ એ પણ જાણીએ કે હનુમાનજીના માતા અંજની ખરેખર કોણ હતાં?

