ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમના બોલરો 371 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા હતા. આ દરમિયાન, ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચ પહેલા એક મોટો નિર્ણય લીધો છે, જેમાં તેણે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને મુખ્ય ટીમમાંથી રિલીઝ કર્યો છે. ભારતીય ટીમ 2 જુલાઈથી બર્મિંઘમના મેદાન પર આ સિરીઝની આગામી મેચ રમવાની છે.

