- હોટલાઈન
- મલ્ટિ-મોડ રડાર સિસ્ટમ ધરાવતા હોવાને કારણે પાકિસ્તાનનાં મિરાજ-2000 પ્લેન ભારતમાંનાં દૂરનાં લક્ષ્યાંકો પર અણુશસ્ત્ર ફેંકવાની ક્ષમતા ધરાવે છે.
લુચ્ચું,લબાડ,દગાબાજ પાકિસ્તાન કોઈ કાળે સુધરે એમ નથી. ગયા શનિવારે (૧૦ મે) બપોરે ૩.૩૦ વાગે બેઉ દેશ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ. તે પછીના ગણતરીના કલાકોમાં પાક. સેનાએ જાત દેખાડી. ભારતની પશ્ચિમી સરહદ પરનાં અનેક રાજ્યો પર ડ્રોન હુમલા કર્યા અને મિસાઈલો પણ દાગી. આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શાંતિ સ્થાપવાની સુફિયાણી વાતો કરનાર પાકિસ્તાન ચૂપ બેસી રહેશે ખરું.

