નર્મદા પરિક્રમામાં દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી પરિક્રમા કરવા આવેલા એક સાઇકલ સવાર ગૃપ દ્વારા સ્વચ્છ નર્મદા-નિર્મલ નર્મદા, વૃક્ષો વાવો, જળ હી જીવન હૈ અને પર્યાવરણ જાળવણીએ આપણી નૈતિક જવાબદારી છે. તેવા પ્લેકાર્ડ સાથે પરિક્રમા કરવા આવતા લોકોને જાગૃતિ સંદેશો આપતા પવિત્ર ભાવ સાથે આ પરિક્રમામાં જોડાયા હતા.

