પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ફરી એકવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. બંને દેશો વચ્ચે સીઝફાયર થયા બાદ મુનીરે ફરી ભારતને ધમકી આપતાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારતને દુશ્મન કહી બદલો લેવા ઉશ્કેર્યા હતાં. કરાચી ખાતે પાકિસ્તાન નવલ એકેડમીમાં પાસિંગ આઉટ પરેડ દરમિયાન મુનીરે બંને દેશો વચ્ચે તણાવ વધારતું ધમકીભર્યું નિવેદન આપ્યું હતું કે, જો દુશ્મન દેશ તણાવ વધારશે તો આખા પ્રદેશમાં અત્યંત ગંભીર પરિણામ ભોગવવા પડશે. જેનો જવાબદાર દુશ્મન જ રહેશે.

