Home / India : Aviation Ministry press conference on Ahmedabad plane crash

'પાયલોટે ઇમરજન્સી સિગ્નલ મોકલ્યું હતું પણ એક મિનિટ પછી...', અમદાવાદ વિમાન દુર્ઘટના પર ઉડ્ડયન મંત્રાલયની પત્રકાર પરિષદ

અમદાવાદ વિમાન દુર્ઘટના પર ઉડ્ડયન મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન દુર્ઘટના સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યુ કે અમદાવાદમાં વિમાન દુર્ઘટના 1.40 વાગ્યે બની હતી. જ્યારે આગ પર સાંજે 6 વાગ્યે કાબુ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટના એરપોર્ટથી 2 કિલોમીટરના અંતર પર બની હતી. વિમાનનું બ્લેકબોક્સ મળી ગયુ છે અને તેની તપાસ ચાલી રહી છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે કમિટીની રચના કરવામાં આવી છે.મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ઉડાન ભરતાની 30 સેકન્ડની અંદર જ ક્રેશ થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં મૃતકઆંક 275 થયો છે જેમાં વિમાન મુસાફરો સિવાય અન્ય લોકો પણ સામેલ હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon