મોહમ્મદ અલી ઝીણા ભારતના ભાગલા માટે જવાબદાર ગણાય છે, પાકિસ્તાનમાં તેમને કાયદ-એ-આઝમ કહેવાય છે. એ જ રીતે તેમના મુંબઈ સ્થિત બંગલો ઝીણા હાઉસ વિશે પણ બે મત છે. એક વર્ગના લોકો મુંબઈના માલાબારમાં સ્થિત આ બંગલાને તોડી પાડવાની માંગ કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ હેરિટેજ પ્રોપર્ટીનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આ રીતે ઐતિહાસિક ઈમારત સચવાશે અને ઉપયોગમાં પણ લેવાઈ જશે.

